બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોએ જમીનો ઉપરના બાકી મહેસુલી કરોની રકમ ભરપાઈ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોને જણાવવામાં આવે છે કે, હાલ તા.૦૧/૦૮/૨૦૨૧ થી નવું મહેસુલી વર્ષ શરૂ થઈ થયેલ છે આથી જમીનો ઉપરના બાકી મહેસુલી કરો જેવા કે જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર તથા જિલ્લા પંચાયત ઉપકર ની રકમ ભરવાની બાકી નીકળતી હોય તે રકમ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી નો રૂબરૂ સંપર્ક કરી આ જાહેર નોટીસની પ્રસિધ્ધિની તારીખ થી દિવસ – ૭ માં ભરી આપવાની રહેશે જો તેમ કરવામાં ચૂક કરશો…

Read More

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે ૮ માર્ચ ૨૦૨૨ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય પ્રીમવેર પ્રા.લી – લાઠીદડ માટે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય પ્રીમવેર ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે એકમ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળા કાર્યક્રમના દિવસે અનુબંધમ…

Read More

જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા બદલ ડો.દિપક રામાણીનું સન્‍માન દોઢ મહિનામાં વિનામૂલ્‍યે ૩૨ ઓપરેશન કર્યા

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા અને સુવિધા પૂરતી મળવા લાગતા દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્‍યારે ગઈકાલે બુધવારના દિવસે જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવાસેતુમાં દોઢ માસથી સેવા આપતા શહેરની ખાનગી હોસ્‍પિટલ રામાણી જનરલ હોસ્‍પિટલના સર્જન ડો. દિપક રામાણી દ્વારા ગર્ભાશયની ગાંઠ,સારણ ગાંઠ એપ્રેન્‍ડીક્ષ થી લાંબા સમયથી પિડાતા અને આર્થિક પરિસ્‍થિતિ ખરાબ હોવાના કારણે ખાનગી હોસ્‍પિટલની સારવાર નહી લઈ શકનાર સહિતના દર્દીઓનું ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવ્‍યું હતું. એક જ દિવસમાં ડો. દિપક રામાણી દ્વારા એક સાથે છ ઓપરેશન કરવામાં આવ્‍યા હોય તેવો પહેલો દાખલો જસદણ સરકારી હોસ્‍પિટલમાં…

Read More

૧૦મો ખેલમહાકુંભ-૨૦૨૨, રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ

હિન્દ ન્યુઝ, સુરત           રમતગમત ક્ષેત્રે છૂપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણથી અગાઉના ખેલમહાકુંભને સ્થગિત કરવો પડ્યો હતો. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘૧૫મો ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રજિસ્ટ્રેશન ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરી ભાગ લેવા…

Read More

વિકાસના રોલ મોડેલ ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે ૨૦૦૯માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્તરોતર વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં ૯૧૦…

Read More

વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને  આર્થિક રીતે  વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારનો નિર્ધાર : કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે પશુઓના પોષણ, સંવર્ધન, આરોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે આજે પશુપાલકો પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય તરીકે પસંદ કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગોંડલના ગો દર્શન ટ્રસ્ટ તથા રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ‘‘ગોદર્શન ગાઇડ’’ વિશેષાંકનું વિમોચન કરતાં મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે ‘‘ગોદર્શન ગાઇડ’’ નું માસિક છેલ્લા 35 વર્ષથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેના…

Read More

બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૨૮.૦૨.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન…

Read More

પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, મહિસાગર પોતાના આધ્યાત્મિક, સામાજિક સંદેશાઓ દ્વારા સમાજમાં પ્રવર્તતી અનિષ્ટોને દૂર કરી સમરસતાના આદર્શોનું સ્થાપન કરનાર મહાન સમાજ સુધારક, પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂનમ ના પવિત્ર પર્વ નિમિતે હિન્દૂ યુવા વાહીની મધ્ય ગુજરાત ધર્માંધ્યક્ષ, મહિસાગર તીર્થધામ ના મહંતશ્રી અરવિંદગિરિજી મહારાજ ના આશીર્વાદ થી મહીસાગર માતા ની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હિન્દૂ યુવા વાહીની મહીસાગર જિલ્લા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજવા માં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રચારક હર્ષુ…

Read More

બોટાદ જિલ્લામાં લેબર કોન્ટ્રાકટરની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં ઘરફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં રાખવાના હેતુથી તેમજ ઘરફોડ ચોરીના બનાવની તપાસમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તથા ભુતકાળમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવા બહારથી આવી મજૂરી કામ કરી રહેતા ઈસમો આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિનું સર્વે કરી માહિતગાર થઈ મિલ્ક્ત વિરૂધ્ધના ગુન્હાઓ તેમજ ગુન્હો આચરી જતા રહે અને લેબર કોન્ટ્રાકટરો દ્વારા આવા ઈસમોની કોઈ યોગ્ય પુરતી માહીતી મળતી નથી જેથી ગુનેગારોને શોધવામાં સરળતા રહે તે હેતુથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના કામ અર્થે કોઈપણ લેબરને કામે…

Read More

દામનગર શહેર માં પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ ઉજવાઈ

હિન્દ ન્યુઝ, દામનગર       દામનગર શહેર ના સીતારામનગર વોર્ડ નંબર 2 બુથ નંબર 3 લટુરિયા હનુમાન મંદિર ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ઉજવવામાં આવી. તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી સુરેશભાઈ ગોધાણી, દામનગર પાલિકા પ્રમુખ પ્રિતેશભાઈ, વોર્ડ ના સભ્ય યાસીનભાઈ તથા ખીમજીભાઈ અને ભાજપ સંગઠન ના હોદેદારો હાજર રહ્યા. રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર

Read More