,IHYUUI
Read MoreCategory: Uncategorized
ભાવનગરના સિહોર તાલુકામાં પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લાની તમામ આશાવર્કર બહેનોની હડતાલ હોવા છતાં તેઓએ માતૃભાવનાના દર્શન સાથે બાળકોને પોલિયા રસી માટે આગળ આવ્યાં હતાં. ભાવનગર જિલ્લામાં આશાવર્કર બહેનોની હડતાળ હોવાં છતાં તેઓએ રાષ્ટ્રભાવના તેમજ માતૃભાવના સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રી-દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે, પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ હતી. સતત રસીકરણ અભિયાનને કારણે ભારત આજે પોલિયોમુક્ત દેશ…
Read Moreગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭ સપ્ટે.ના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા”કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથમાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે. નગરપાલીકા ટાઉનહોલ,વેરાવળ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ તા.૧૭-૯-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કેશ ક્રેડીટ કેમ્પના વિવિધ લાભો એનાયત કરવામાં આવશે તેમજ વિશ્વાસથી વિકાસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે.
Read Moreરાધનપુર બજાર ખાતે વેપારીઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર મેન બજારમાં બસ ડેપો થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહિમામ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેન બજારમાં બસ સ્ટેન્ડ થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.વેપારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી નાયબ કલેકટર કચેરી ખાતે રામધૂન બોલી વિરોધ દર્શાવવામાં આવશે તેમજ રાધનપુર બજારમાંથી ગંદકી દૂર કરવાની માગણી સાથે રાધનપુર વેપારી એસોસિયન દ્વારા આવેદનપત્ર આપી માંગણી રજૂ કરાશે એવું જણાવ્યું હતું. રાધનપુર શહેર માં વેપારીઓ ત્રાહિમામ…
Read Moreથરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો યજ્ઞ આયોજન
હિન્દ ન્યુઝ, થરાદ બનાસકાંઠાના થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો એકજ શિવ ભક્ત દ્વારા યજ્ઞ આયોજન કરવામાં આવતાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી. થરાદના સુથારા શેરીમાં આવેલ પ્રાચીન શિવ મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો દર્શનાર્થે આવતા શિવ ભક્તોની ભીડ જોવા મળી રહેતી હોય છે ત્યારે શિવ ભક્ત ખોડાજી રાજપૂત દ્વારા આ વર્ષે આખો શ્રાવણ માસ એટલે એકમથી અમાવશ્યા સુધી ભગવાન ભોલેનાથના મંદિરે યજ્ઞનું આયોજન કરી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપવામાં આવી રહી છે જેથી મોટી સંખ્યામાં ભૂદેવો…
Read Moreગોધાતડ- નરા અને સાન્ધ્રો ડેમમાં વરસાદી પાણીની આવકના પગલે આસપાસના ગામોને સતર્ક કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં અત્યારે પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ડેમો અને નદીઓ અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઈ રહી છે. લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતળ નરા અને સાન્ધ્રો ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક કરાયા છે. નરેડી અને બુધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગોધાતડ અને સાન્ધ્રો ડેમમાં તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંધિત ગ્રામજનોને…
Read Moreપાટણ:સાંતલપુર આબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ
હિન્દ ન્યુઝ, સાંતલપુર બનાસનદી માં પાણી નો પ્રવાહ વધતા ૧૦ ગામથી વધારે નો સંપર્ક તૂટવાની શક્યતા પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે, ‘રેડ એલર્ટ, વચ્ચે પાટણ મા મેઘરાજા ની તોફાની બેટિંગ અબિયાણા ગામે બનાસનદીમાં પ્રવાહ વધતા માર્ગ પર ફરીવર્યું પાણી, માર્ગ બંધ થશે તો રાધનપુર, સાંતલપુર તાલુકાના કાંઠાના 10થી વધુ ગામો ને થઈ સકે છે અસર.નદી માં પાણીનો પ્રવાહ વધતા પેદાસપુર, ગડસઈ, અગીચાણા, બીસ્મિલ્લાગંજ, કરશનગઢ સહિત ગામોનું વાહનવવ્યહાર બંધ થવાની ની સ્થિતિ સર્જાઈ છે. પાટણ તેમજ ઉપરવાસ…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૪-૦૮-૨૦૨૨ થી તા.૨૬-૦૮-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૬-૦૮-૨૦૨૨ થી તા.૨૮-૦૮-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયર ડૉ. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી. આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઈ…
Read Moreઓલપાડ ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા યોજાઇ
હિન્દ ન્યુઝ, સુરત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા મથકેના સર્કીટ હાઉસથી મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સુધી તિરંગા યાત્રામાં યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ પોતાની સ્વબચતથી…
Read More