અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે

અંબાજી,

બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ હોસ્પિટલ એ અનેક વાર ચર્ચામાં રહી છે. આ હોસ્પિટલ વિશે અવાર નવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે અને અનેકવાર કોઈ ને કોઈ કારણો ને લઈ આ હોસ્પિટલ લોકમુખે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તાજેતરમાં જ એક મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ હતો કે કુતરા કરડવા ની રસી હોસ્પિટલમાં નથી અને દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે. તે વિષયને લઈને અંબાજી હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો પણ કર્યો હતો, ત્યારબાદ હવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં આ હોસ્પિટલ ચર્ચાસ્પદ બની છે . અંબાજી હોસ્પિટલ માં તપાસ બરાબર ન થતી હોવાનું સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઇ રહ્યો છે, એટલું જ નહીં બી.પી ચેક કરવાનું તો સોગંદ આપી હોય જયંતિ રવિએ કે અંબાજી હોસ્પિટલમાં બી.પી ચેક નહીં કરવી તેવા પણ મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે,

એટલું જ નહીં આ હોસ્પિટલના ડોક્ટરો ને જો રાત્રે તો કોઈ દર્દીને ચેક કરવાનું ગમતું ,જ નથી તેવી પણ કોમેન્ટ ફેસબુક ઉપર આવી છે અને આ હોસ્પિટલ એકવાર ફરી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર
લોકોની ચર્ચા વચ્ચે સંકળાયેલી છે અને લોકો ની કોમેન્ટ ધુમ આવી રહી છે અને હાલ સુધીમાં એક પણ અંબાજી હોસ્પિટલ નાં સારા કામો કે પોઝિટિવ કોમેન્ટ નથી આવી અને લોકો પણ જે કોમેન્ટ કરી રહ્યા છે. તે પોતાની મનની વાતો મૂકતા હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે આ બધા બનાવો તેમની સાથે ઘટેલા હોય તે રીતે આ લોકો અહીં આગળ કોમેન્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. શું આ બધી કોમેન્ટો અને આ જેટલીવાર હોસ્પિટલ વાદ વિવાદમાં રહી છે અને જ્યારે આ સરકારી હોસ્પિટલમાં સરકારી ગાઇડ લાઇન નું પણ ઉલ્લંઘન થાય છે,  તેવા પ્રશ્ન હાલ માં લોકમુખે ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment