હિન્દ ન્યુઝ, સુરત
યાત્રાળુ ભારતીબેન મોદીએ કહ્યું હતું કે, સુરતથી સ્પેશિયલ ટ્રેન દ્વારા સોમનાથ સ્વાભિમાન યાત્રામાં પરિવારજનો જઈ રહ્યા છીએ. મહમ્મદ ગઝનવીએ આજથી લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. એ સમય વિચાર્યું હશે કે પથ્થરો તોડીને તેઓ આપણી આસ્થા ખંડિત કરશે. પણ તેઓ ભૂલી ગયા હતા કે સોમનાથ મંદિર હિન્દુઓની આસ્થા સાથે ભારતનું સ્વાભિમાન છે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડિખમ ઊભું છે.
