ધારી ખાતે વિના મુલ્યે નેત્રયજ્ઞકેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી

       ધારી બજરંગ ગ્રુપ અને રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મુલ્યે નેત્રયજ્ઞકેમ્પ નું આયોજન કરેલ. જેમાં ૮૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ અલ્પાહાર કરાવી રવાના કરેલ. જેમાં બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી ધારીના સરપંચ જીતુભાઈ જોશી, અતુલભાઇ કાનાણી, ગોબરભાઇ નકુમ, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, રમેશભાઈ મકવાણા, લાલજી ભાઈ પાટડીયા, સંજયભાઈ જોશી હાજર રહેલ. આ કૅમ્પ માં ડોક્ટર વાઘેલા દ્વારા સુંદર સેવા આપવામાં આવેલ હતી. તેમજ ભરતભાઈ કાછડીયા પણ સહયોગ આપ્યો.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment