હિન્દ ન્યુઝ, આણંદ
અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.
જે અન્વયે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના ઘરે જઈને પરિવારજનો આવી પડેલ આપત્તિના સમયે હૈયાધારણા આપી હતી.
આ ઉપરાંત મૃતકોના મૃતદેહ ઓળખ માટે અમદાવાદ ખાતે ડી.એન.એ ટેસ્ટની પ્રકિયાથી લઈને મૃતકોના અંતિમ સંસ્કાર તથા અન્ય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મૃતકોના પરિવારજનોની પડખે રહેશે.
વધુમાં, પરિવારજનો ઉપર આવી પડેલી અણધારી આપત્તિ વેળાએ તેઓને કંઈ પણ મુશ્કેલી ના પડે તે માટે અને ત્વરિત સહાયતા પહોંચાડવા માટે જિલ્લા ના અધિકારીઓના સંપર્ક નંબર તેમને આપવામાં આવ્યા છે, જેથી કોઈપણ મૃતક ના પરિવારજનોને કંઈ પણ કામ હોય તો સંપર્ક કરવા જણાવાયુ છે.
આમ, આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં જિલ્લાના ૩૩ જેટલા મૃતકોના પરિવારજનોને પડખે ઉભા રહીને સાંત્વના પાઠવીને હૈયાધારણા આપી હતી.
