અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.

     બાલુભાઈ હરજીભાઈ કતપરા ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. રજનીભાઈ રાઠોડ, રવિન્દ્રભાઈ અમીન, દિનેશભાઈ પરમાર, મુળજીભાઈ સોલંકી, યોગેશભાઈ રાઠોડ, કૌશીકભાઈ રાઠોડ, લલિતભાઈ રાઠોડ, મહેશભાઈ પરમાર સહિત 100 જેટલા આગેવાનો સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ અધિકારી રાજેન્દ્રભાઈ રાઠોડના નેતૃત્વમાં કોંગ્રેસપક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, એ.આઈ.સી.સી.ના મંત્રી રામકિશન ઓઝા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment