ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના પર્વનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

જિલ્લાનાં નાગરિકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. જિલ્લાના મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નાગરિકોમાં અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યુ હતું. મતદાતાઓને કોઈ અગવડતાના પડે તે માટે મતદાન મથક પર આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ પણ  ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

ગીર-સોમનાથ જિલ્લાના યુવા થી માંડી વરિષ્ઠ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને અવશ્ય મતદાન કરે તે માટે  અપીલ કરી હતી.

Related posts

Leave a Comment