મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં મત માટે પ્રચાર કરી શકાશે નહિં

હિન્દ ન્યુઝ, આણંદ

   જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિને કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

 તદ્દઅનુસાર કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટસ કે નિશાની પ્રદર્શિત કરવા તેમજ સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા, વાહનો સાથે આવવા (પરંતુક: અપંગ/અશકત વ્યકિતઓને લાગુ પડશે નહી) અને મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણીપંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા જેવા કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

મતદાર મથકો ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સીક્યુરીટીના માણસો, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરઓ તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને આ હુકમ અંતર્ગત ફરજ પુરતી છૂટ રહેશે.

Related posts

Leave a Comment