ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લાની ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ તાલાળા રોડ ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ છે.

જેથી ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ થતાં સાર્વજનીક ટ્રસ્ટો તથા સખાવતી મંડળીઓનાં ટ્રસ્ટીઓને ટ્રસ્ટ અંગેની કામગીરી જેવી કે, નવા ટ્રસ્ટની નોંધણી કરાવવી, ફેરફાર રિપોર્ટ રજૂ કરવા, જૂના સર્ટિફિકેટ જમા કરાવી નવા સર્ટિફિકેટ મેળવવા તથા ઓડિટેડ હિસાબો રજૂ કરવા, ફાળો ભરવા વગેરેની કામગીરી માટે તથા જાહેર જનતા જોગ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ-તાલાળા રોડ, ઈણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથના સરનામે રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવી છે. જેનો સંપર્ક નંબર (૦૨૮૭૬) ૨૪૦૪૪૦ છે. 

Related posts

Leave a Comment