૮ લાખની પેસેન્જર વાહન લોન મળવાથી પોતાનો વ્યવસાય શરૂ કરીશ : મનીષભાઈ બારૈયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ) કરવામાં આવ્યું હતું.

પી.એમ. સૂરજ પોર્ટલના ઇ-લોકાર્પણ સમયે લાભાર્થી  મનીષભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે તેઓ ખાનગી ક્ષેત્રમા નોકરી કરતા હતા હવે તેઓને સફાઇ કામદાર વિકાસ નિગમમાંથી પેસેન્જર વાહન લોન અંગેની માહિતી મળતા એમને આ અંગે પ્રક્રિયા કરતાં ૮ લાખની પેસેન્જર લોન મળવાથી પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વ રોજગારી થકી જીવન ઘડતર ઊંચું આવશે.

 

 

Related posts

Leave a Comment