હિન્દ ન્યુઝ, ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. સૂરજ યોજના સહિતની વિવિધ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર ના લાભાર્થી કેતનભાઈ વાળોદરા એ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી.
આ તકે લાભાર્થી કેતનભાઈ વાળોદરા એ જણાવ્યું હતું કે પહેલા તેઓ મજૂરી કરતા હતા ત્યારે એમને ગુજરાત સફાઈ વિકાસ બોર્ડ અંતર્ગત લોન અંગેનો ખ્યાલ આવતા એમને ફોર્મ ભર્યું અને લોન મળી જતા તેઓ ટેક્સી વેઇકલ થકી પોતાનો ધંધો શરૂ કરી સ્વતંત્ર વ્યવસાય કરીને માનભેર જીવન જીવી રહ્યા છે.