મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડતા મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં કુલ ૧૫ આવાસો સીલ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડતા મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં કુલ ૧૫ આવાસો સીલ કરવામાં આવ્યા છે.

ઉપરોકત આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોઈ નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે આજ રોજ તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં ૧૧ આવાસો તથા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ૪ આવાસો મળી કુલ ૧૫ આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સુરક્ષા વિભાગ તથા દબાણ હટાવ ટીમને સાથે રાખી સીલ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment