શ્રી ગોઝારીયા મુકામે શ્રી પાટણ વાળા પ્રજાપતિ સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ૨૯ દંપતિએ પ્રભુતા માં પગલાં પાડયાં

હિન્દ ન્યુઝ, ખેરવા

          ગોઝારીયા મુકામે તા.૨૬ ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ શ્રી પાટણ વાળા પ્રજાપતિ સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં ૨૯ યુગલો એ પ્રભુતા માં પગલા પાડી પોતાના લગ્નજીવનજીવનની શરૂઆત કરી હતી આ તકે સમૂહ લગ્નોત્સવ માં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સમિતિના પ્રમુખ તથા અન્ય કારોબારી સભ્ય દ્વારા સન્માન કરાયું હતું.

             પાટણવાડા અને બનાસકાંઠા એમ બે જગ્યાએથી ૨૯ યુવક અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને પોતાના નવજીવનની શરૂઆત કરશે. આ પ્રસંગે દાતાઓ તરફ થી કન્યાઓ ને કરિયાવરમાં ઘરવખરી માટે ૪૯ જાત ની વસ્તુઓ ભેટ માં આપવામાં આવી. આ દંપતીઓને આશીર્વાદ આપવા સંત શ્રી દોલતરામબાપુ તથા વિશ્વભારતી મહારાજ તથા સાંસદ રાજ્યસભા ના અધ્યક્ષ એવા દિનેશભાઈ અનાવાડીયા હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અરવિંદ પ્રજાપતિ, ખેરવા

Related posts

Leave a Comment