કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવ્યું 

હિન્દ ન્યુઝ, ભુજ
                કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિમાર્ણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે  આજે માતાના મઢ ખાતે કચ્છ દેશ દેવી માં આશાપુરાના ચરણોમાં શીશ નમાવીને દર્શન કર્યા હતા. તેમજ લોકોની સુખાકારીની માના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આ સાથે નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વતી પ્રમુખ અબજીભાઈ પટેલ દ્વારા કૃષિ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી તથા અન્ય પદાધિકારીઓ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment