ભાવનગરમાં “મતદાર જાગૃતિ” વિષય પર તા. ૨૭ નવેમ્બરનાં રોજ રંગોળી સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી વિધાનસભા ચૂંટણીના અનુલક્ષીને ભાવનગરમાં મતદારોને મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે “અવસર” નોડલ ઓફિસર, ચૂંટણી પંચ, સ્વીપ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભાવનગર અને કલાસંઘ સંસ્થા દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખ નાં માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન તા. ૨૭ નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું છે

રવીવારે સવારે ૭ થી ૯ વાગ્યા સુધી રૂપાણી સર્કલ ખાતે ૭૫ જેટલા સ્પર્ધકો ભાગ લઈને આકર્ષક રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવશે. ભાવનગરની જનતા સવારે ૭ થી ૯ વાગ્યા સુધી રૂપાણી સર્કલ ખાતે રંગોળી નિદર્શન કરી શકશે.

ભાગ લેનાર દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ આપવામાં આવશે આ ઉપરાંત બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

Related posts

Leave a Comment