પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ભાવનગર

બદલી અંગેના પ્રવર્તમાન નિયમ તથા નામ.હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઈ શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ અંગે મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે. નામ.હાઈકોર્ટ દ્વારા જે કેસમાં કેસના અરજદારોની સિનીયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનીયોરીટી ગણ્યા બાદ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નામ.હાઈકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ કેમ્પ કરતા પહેલા વિકલ્પ કેમ્પનું તા.૦૧/૦૪/૨૦૨૨ નાં ઠરાવમાં દર્શાવેલ નિયમ મુજબ આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમાનુસાર વધ ઘટ કેમ્પ, તાલુકા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષકોની અરસપરસ બદલી અંગે વતન શબ્દ દૂર કરવામાં આવેલ હોવાથી જે શિક્ષકોને આ નિયમનો લાભ મળવાપાત્ર થાય તેઓ અરજી કરી શકે તે હેતુથી અરજી કરવાની મુદત તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી હતી. આવી અરજીઓ અને તા.૩૧/૧૨/૨૦૨૧ ની સ્થિતિએ કરેલ જિલ્લા ફેરબદલીની અરજીઓ જે તે જિલ્લામાં પહોંચાડવા બાબતે તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ રાજ્ય કક્ષાએ કેમ્પ કરી જે તે અરજીઓ જે તે જિલ્લાને પહોંચાડી દેવામાં આવશે.

જિલ્લા ફેર અરસપરસ બદલીના હુકમો જે અરજીઓ માટે નિયમાનુસાર હશે તે ધ્યાને લઈ તા.૨૦/૦૫/૨૦૨૨ સુધીમાં કરી દેવામાં આવશે. તેમાં શિક્ષકોની ભૌતિક હાજરીની આવશ્યકતા નથી. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ અંગેની વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ બદલી કેમ્પોનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. કોર્ટ કેસ કે વહીવટી પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તો નવા સત્ર શરૂ થતાં પહેલાં બદલી કેમ્પો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની વિચારણા છે.

આ અન્વયે વિકલ્પ કેમ્પ આઠ દિવસે, વધ ઘટ કેમ્પ પંદર દિવસે, આંતરિક બદલી એક માસ, આંતરિક બદલી પૂર્ણ થયેથી નવી ભરતીમાં નિયુક્ત થયેલ વિદ્યાસહાયકોને શાળા પસંદગીની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી સાત દિવસ સુધીનો અંદાજીત સમયગાળો રહેશે.

Related posts

Leave a Comment