વિજયાદશમીના દિવસે હિન્દુ સેના દ્વારા થયું શસ્ત્ર પૂજન

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગરમાં વિજયાદશમી મહાપર્વના દિવસે આપણે સૌ સર્વ શક્તિ, આનંદ, ઉત્સાહ, ઉમંગ સાથે ભગવાન શ્રી રામચંદ્રજી ના વિજય ઉત્સવ કે જેઓ આસુરી શક્તિનો નાશ કરવા ધરતી ઉપર જન્મ લીધો હતો તેમજ માં આદ્યશક્તિ નો અશુરો પરનો વિજય ઉત્સવ, માં દુર્ગાનું પૂજન ઉત્સવ થકી રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા માટે કાર્યરત થઈ એ આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરમ પિતા શિવ, માતા શિવા નું સાનિધ્ય પ્રાપ્ત થાય તે દુર્ગમ માર્ગ યાત્રા સરળ અને સહજ બને તેવી ભગવાન ને પ્રાર્થના સાથે માતાજીના સ્વરૂપ એવી ક્રિષા પાઠક, શોર્યા ભટ્ટ ના વરદ હસ્તે ઇન્દિરા માર્ગ પર આવેલા પંજાબી ફોજી ધાબા પાછળ શ્રી કરોડપતિ (શ્રી રઘુનાથ હનુમાનજી) મંદિર ખાતે શસ્ત્ર પૂજનની શરૂઆત કરી અને હિન્દુ સેના એ આવતા સમયે શાસ્ત્રની જરૂર પડે ત્યાં શાસ્ત્ર અને શસ્ત્ર ની જરૂર પડે ત્યાં શસ્ત્રના ઉપયોગ સાથે હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ તેમજ ગૌરક્ષા દળના આશુતોષ પાઠક ની ખાસ ઉપસ્થિતિમાં અનેક સૈનિકો સંકલ્પબદ્ધ થઈ શસ્ત્ર પૂજન કર્યું.

Related posts

Leave a Comment