જામનગર માંથી સંપૂર્ણ જગ્યાઓ પર થી ધર્મ ને બદનામ કરતા ફોટા, ટાઇલ્સ હિંદુ સેના જાતે હટાવશે

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર મા હિન્દુ સેના દ્વારા દેવી દેવતાઓના ફોટા, ટાઇલ્સ રસ્તા ની બાજુ ઉપર, કોમ્પલેક્ષ, ઓફિસોની દીવાલો પર ચિપકાવી ધર્મનું અપમાન કરનારાઓને સૂચના આપતા હિન્દુ સેના ના સૈનિકો નજરે નિહાળી શકાય છે.

જેમાં ડીએસપી બંગલા સામે, હિન્દુ અપંગ આશ્રમ પાછળ ની દીવાલો, પવનચક્કી વિસ્તાર તેમજ અન્ય જગ્યાઓ પર સૂચનાઓ આપી દેવી દેવતાના ફોટાઓ ઉતારી લેવા લોકો ને ચેતવ્યા હતા.

      1 જુલાઈ 2021 ના સાંજે 4.30 વાગ્યે થી જે તે વિસ્તાર માંહિન્દુ સેના ના મયુર ચંદન ની બટાલિયન, શહેર યુવા પ્રમુખ ગુંજ કારીયા, પરાગ રાજપૂત, ધીરેન નંદા, દીપક સાગઠીયા, કેતન કછતિયા, વિમલ ઉપાધ્યાય, સંજય બાબરીયા સહિત હિન્દુ સૈનિકો જાતે આ ફોટા, ટાઇલ્સ ઉતારી નાખસે અને હિન્દુ ધર્મ નું થતું અપમાન ને હરગિઝ સહન નહિ કરે.

આ અભિયાન પૂરા જુલાઈ માસ દરમિયાન ચાલશે અને જામનગર માંથી સંપૂર્ણ જગ્યાઓ પર થી ધર્મ ને બદનામ કરતા ફોટા, ટાઇલ્સ જાતે હટાવશે. દર બે દિવસે બપોરે 4.30 વાગ્યે નીલકંઠ મહાદેવ મંદિર, વિભાજી સ્કુલ સામે હિન્દુ સેના સૈનિકો એકત્રિત થઈ કાર્ય શરૂ કરશે. 

Related posts

Leave a Comment