જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલને નિવૃતિ પ્રસંગે બહુમાન કરાયું

હિન્દ ન્યૂઝ, ખેડા

     સરકારી સેવામાં ફરજ બજાવતા દરેક અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃતીનો સમય પણ ફિકસ હોય છે. ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ તા.૩૧મી મે ૨૦૨૧ના રોજ વયનિવૃત થનાર હોઇ આજે નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે તેઓશ્રીને મોમેન્‍ટો આપી તેમજ શાલ ઓઢાડીને તેઓનું બહુમાન સિવિલ સર્જન ર્ડા. તૂપ્‍તિબેન શાહ, ર્ડા. મનીષ જાડાવાલા અને આરએમઓ ર્ડા. નાસર દ્વારા સમગ્ર સિવિલ સ્‍ટાફ તરફથી કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ર્ડો. શ્રી તૂપ્‍તિબેન શાહ દ્વારા કલેકટરને તેઓનું વયનિવૃતિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.
   બહુમાનનો પ્રત્‍યુત્તર પાઠવતા કલેકટરએ સિવિલ સર્જન ર્ડો. તૂપ્‍તિબેન શાહ સહિત તમામ સિવિલના અધિકારીઓ, તબીબો અને સ્‍ટાફના સદસ્‍યોની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી બચાણી, તબીબ તનીષાબેન સહિત સિવિલ હોસ્‍પિટલનો અગ્રણી સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment