જયેશ પટેલ ના ચર્ચામાં રહેલી નીશા ગોંડલીયા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ

જામનગર ભૂમાફિયા જયેશ પટેલ ના ચર્ચામાં આવેલ નિશા ગોંડલીયા ની કાર પર આજે બપોરે દ્વારકા જિલ્લાના ખંભાળિયા આરાધના ધામ પાસે અજાણ્યા બે શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યા ની માહિતી પ્રાપ્ત થવા પામી છે. નિશા ગોંડલીયા ને ઈજા પહોંચતા તેણીને તાત્કાલીક ધોરણે ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અત્રે એ જોવું રહ્યું કે નિશા ગોંડલીયા ની કાર પર કોણે અને શા કારણે ફાયરિંગ કર્યું ? આ અંગે ખંભાળિયા પોલીસે આરાધનાધામ નજીક આવેલી  હોટલો ની સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ ખુલાસાઓ મળે તે અંગે ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સાતલપુર ખાતે પંચદેવ ની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ જેમાં ખાસ જલારામ મંદિર અને દરિયાલાલ દાદા નું મંદિર બનાવવામાં આવેલ જેમાં ખાટલા ઉપર બેઠેલા જલારામબાપાનું ભારતમાં પહેલું મંદિર બનાવવામાં આવેલ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા સાંતલપુર ખાતે લોહાણા બૉડીગ ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા ભવ્ય જલારામ મંદિર બનાવવામાં આવ્યો તેની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ જેમાં સંતો-મહંતો અને સમાજના આગેવાનો હાજર રહેલા જેમાં વાગડ વિસ્તારમાં વર્ષોથી હજારો લોહાણા પરિવાર રહેતા હોય અને વાગડ…

Read More

દામનગર શહેરી ગરીબ અને ખેડુતો પર રેલવે રહેમ કરે તેવી માંગ બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત ખોલવા રજુઆત

દામનગર શહેરીજનો પ્રત્યે રેલવે તંત્ર રહેમ કરે તેવી માંગ શહેર ની આર્થિક પછાત વસાહત ખોડીયારનગર અને ખેડૂતો ભારે લાચાર    શહેર ની આર્થિક પછાત વસાહત માં જવા માટે માત્ર એક જ વિકલ્પ ગરનાળુ જેમાં બે ફૂટ કરતા ચાલતા પાણી કોઈ મોટા વાહનો ની અવર જવર ન થઈ શકે તેવી લાચાર સ્થિતિ ખેડૂતો ખેતી વિષાયક સાધનો ક્યાં થી લઈ જાય ? જીવ ના જોખમે અભ્યાસ કરતા બાળકો રેલવે ટ્રેક ઓળગી રહ્યા છે બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત રીતે ખોલવા ડી આર એમ સહિત સેન્ટ્રલ ગવર્મેન્ટ માં રજુઆત કરતા સ્થાનિક રહીશો અને…

Read More

સંસદસભ્ય પૂનમ માડમની નાગરિક ઉડ્ડયન સમિતિમાં નિમણૂક

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમની નાગરિક ઉડ્ડયન સમિતિમાં નિમણૂક થઈ છે. કેન્દ્ર સરકારશ્રી એ નાગરિક ઉડ્ડયન વિભાગની સલાહકાર સમિતિની રચના કરી છે. જેમાં કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરદીપસિંહ પુરી ચેરમેન છે અને સાંસદસભ્ય પૂનમ માડમ સહિત 16 સભ્યોની નિમણૂક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદસભ્ય પૂનમ માડમ કેન્દ્ર સરકારની સ્ટેન્ડીંગ કમિટી ઓફ વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ પબ્લિક અંદર ટેડિન્ગ ડિપાર્ટમેન્ટ રિલેટેડ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી કમિટીઓની ઇન્ડસ્ટ્રીઝના સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે.

Read More

જુનાગઢ  જિલ્લાના માંગરોળમાં બ્રહ્મસમાજના માજી પ્રિન્સિપાલ હસુમતિબેનનુ થયેલ ચક્ષુદાન

ચક્ષુદાન મહાદાન    જુનાગઢ  જિલ્લાના માંગરોળમાં બ્રહ્મસમાજના માજી પ્રિન્સિપાલ હસુમતિબેનનુ થયેલ ચક્ષુદાન માંગરોળમાં તા.૨૮-૧૧-૨૦૧૯ માગશર સુદ બીજના દિવસે બ્રહ્મ સમાજના મહેતા પરિવારના સ્વ.હસુમતિબેન શાંતિલાલ મહેતા (ઉ.વર્ષ.૮૨) {રહે.હાટકેશ્વર મંદિર પાસે,નાગરબ્રાહ્મણ વાડી.}કે જેઓ બિપીનકુમાર શાંતિલાલ મહેતાના માતૃશ્રી તેમજ નગરપાલિકા માંગરોળના માજી ચીફ ઓફીસર શ્રી માધવલાલ વૃંદાવનદાસ મહેતાના પુત્રવધુ થાય છે જેઓ આજે ભુલોકથી પરલોક સિધાવેલ છે. પરમધામગમન થયેલ સ્વ.હસુમતીબેનએ પ્રાથમિક કન્યાશાળા લિમડાચોક,માંગરોળમાં આચાર્ય તરીકે ફરજ બજાવેલ હતી.હાલ તેઓ નિવૃત હતા. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા શિવમ્…

Read More

શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યો

  માંગરોળ શેરિયાજ ગામે ગર્ભવતી  મહિલાને ઢોરમાર મરવામા આવ્યોમાંગરોળ તાલુકા ના શેરિયાજ ગામની ગર્ભવતી મહિલા ને ગામના જ બૅ વ્યક્તિ દ્વારા ઢોર માર મારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામા આવી હતી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામમા આઠ માસની પ્રેગ્નેનસી ધરાવતી મહિલાને ગામના જ બૅ ઇસમો દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી, તો પારસબેન જયેશભાઇ ડાકી નામની મહિલાના પેટમા આઠ માસની પ્રેગ્નેન્સી હતી, આ મહિલા જ્યારે પોતાના ઘરે શેરિયાજ ગામે કપડા ધોતી હોય ત્યારે શેરિયાજ ગામના જ વતની જયેશ નગા ભાદરકા અને અશોક નગા ભાદરકા ત્યા આવેલ અને…

Read More