રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના પાલનપુર ગામની ૪ માસની આર્યાને મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ભુજ       સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બાળકો માટે વરદાનરૂપ છે. તાજતેરમાં કચ્છના નખત્રાણા તાલુકાની RBSK ટીમ દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાત દરમિયાન પાલનપુર ગામની બાળકી આર્યા મીત પટેલને જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાળકીની વધુ તપાસ માટે વાલીઓને સમજાવી 2D Echo કરાવવામાં આવ્યું, જેમાં Multiple VSD (Ventricular Septal Defect) હોવાનું નિદાન થયું. RBSK ટીમે તાત્કાલિક જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીનો કેસ ઉચ્ચ કક્ષાની સારવાર માટે મોકલ્યો. ત્યારબાદ તા. 21/04/2026 ના રોજ સારવારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More

માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતાં ૨૫૦થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં ૩૫૦ થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.   સમગ્ર ૧૫ દિવસ દરમિયાન ૧૦ દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર બની ગયો હતો.આ પ્રસંગે ડૉ.સુરેજા, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલશ્રી, નગરપાલિકાના માજીપ્રમુખ તેમજ…

Read More

એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા

હિન્દ ન્યુઝ, વડોદરા      આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે.  ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી…

Read More

કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવ્યો

હિન્દ ન્યુઝ, કતારગામ   ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે સહાયની ભાવનાથી સંપર્ક કર્યો હતો. કોલ દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે.           માહિતી મળતા જ કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત દરમિયાન મહિલાએ પારિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ…

Read More

ઉનાળામાં ટીંડોરા, પરવળ, તુરીયા, દૂધી સહિતના શાકભાજી મેદસ્વિતા નિવારણ માટે આદર્શ વિકલ્પ

હિન્દ ન્યુઝ, બોટાદ     ઉનાળાની તીવ્ર ગરમીમાં ભારે અને તળેલા ખોરાકનું આકર્ષણ વધે છે, પરંતુ તે મેદસ્વિતા (ઓબેસિટી) અને અન્ય આરોગ્ય સમસ્યાઓને પણ વધારે છે. આ સમયે કુદરતે આપેલા હલકા, પાણીથી ભરપૂર અને પોષક તત્વોથી સમૃદ્ધ શાકભાજી શરીર માટે ખુબ જ અગત્યના છે. આ શાકભાજીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના તત્વથી ભરપુર એવા ટીંડોરા, પરવળ, તુરીયા, કાકડી, ખીરા કાકડી અને દૂધીને રોજીંદા માનવ શરીરમાં આહારમાં મુખ્ય સ્થાન લેવા જોઈએ. આ શાકભાજી ઓછી કેલરી, વધુ ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે, જે મેદસ્વિતા નિવારવા અને વજન નિયંત્રણમાં અસરકારક સાબિત થાય છે.…

Read More

ઉનાળાની ગરમીમાં સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યની ભેટ આપતાં ગોરસ આંબલી, ફાલસા, રાયણ અને કાચી કેરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  🔹 વિટામિન સી યુક્ત ગોરસ આંબલી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચાને તાજી રાખે છે 🔹 ફાલસા પેટની સમસ્યા દૂર કરે છે અને ગરમીમાં થતાં હીટ સ્ટ્રોકથી બચાવે છે 🔹 રાયણમાં આયર્ન અને કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે જે બાળકોના વિકાસ માટે તેમજ વૃદ્ધોમાં હાડકાં મજબૂત કરવા માટે ઉત્તમ છે 🔹 વિટામિન એ અને સીથી ભરપૂર કાચી કેરી પાચનશક્તિ વધારે છે 🔹 આ ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ડિહાઇડ્રેશન રોકે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. જેમાં કુદરતી ખાંડ અને ફાઇબર હોવાથી તે વજન નિયંત્રણમાં…

Read More

આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા તેમજ સુરત-તાપી- નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા પશુપાલન, ખેતીવાડી તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગાંધીનગરના સ્ટેટ એપેડેમીયોલોજીસ્ટ ડો.જયેશ સોલંકી, એપેડેમીક ઓફિસર ડો.વિજય પટેલ, મેડીકલ ઓફસર ડો.કાપડીયા, આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નિયામક ડો.સી.આર.પટેલ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ સ્થિત મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો તથા મહેનતના…

Read More

GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગરમાં આવેલ GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ અને સિક્યુરિટી ટીમને આગના સમયે લેવી પડતી સાવચેતીઓ અને સુરક્ષાના સાધનોના ઉપયોગ અંગે સચોટ તાલીમ આપવામાં આવી હતી. હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓએ દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આ પ્રકારની તાલીમ અત્યંત અનિવાર્ય છે.

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનાં સગાં-સંબંધીઓ માટે અત્યાધુનિક ‘રેનબસેરા’ તૈયાર

હિન્દ ન્યુઝ, અમદાવાદ    સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દર્દીઓનાં સગાં-સંબંધીઓ માટે ₹60 કરોડના ખર્ચે 858 બેડનું અત્યાધુનિક ‘રેનબસેરા’ તૈયાર કરવામાં આવી રહ્યું છે.    અમદાવાદની સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ‘રેનબસેરા’ અંતર્ગત વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 24,436 ચો.મી. છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટિન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ તેમજ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 8 દુકાનોની વ્યવસ્થા કરાઈ છે. આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ…

Read More

અમદાવાદ ખાતે TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ        વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા ન્યુટ્રિશન કિટ વિતરણ, મિરઝાપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુટ્રિશન કિટ વિતરણ, દાણીલીમડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કિટ વિતરણ તેમજ સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેટર મુકેશભાઈ અને MO-PHI ડૉ. બેલાબેન મેડમ દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત નોબલનગર TU નરોડા UCHC ખાતે TB દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવ્યું.

Read More