ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા જામનગર આરોગ્યતંત્રની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર      ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સનસ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવા (સનસ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી,…

Read More

જામનગર જિલ્લામાં હીટવેવને અનુલક્ષીને સલામતીના સૂચનો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર   ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં હીટવેવની આગાહી જારી કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન અને આગામી ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે જામનગર જિલ્લાના તમામ નાગરિકો માટે રક્ષણાત્મક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંં જણાવ્યા અનુસાર હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી,…

Read More

ગરમીના પ્રક્રોપ સામે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગરમી અને લૂનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સૂચનો બહાર પાડવામાં આવેલા છે. આવા ગરમીના સમયે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે રાખવું હિતાવહ છે. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબૂ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી બહાર નીકળો. આંખોના…

Read More

એક કદમ માનવતા કી ઓર…. “ટીબી હારેગા, દેશ જીતેગા”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર શ્રી ડી.ડી. જાડેજાની આગેવાની અન્વયે સરાહનિય કામગીરી થઈ રહી છે ત્યારે શનિવારે વધુ ૩૦ ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.      ગીર સોમનાથ જિલ્લા ટીબી ઓફિસર ડૉ.શીતલ રામના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથના ટ્રસ્ટી થોમસ મેડમ તરફથી પોષણકિટ આપવામાં આવી હતી…

Read More

વેરાવળ ખાતે મહિલાઓ માટે જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેનાં જાગૃતિ શિબિર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યાપન મંદિર વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના,સાયબર સેફ્ટી, મહિલા સુરક્ષા માટેની યોજનાઓ જેવી કે OSC, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 એપ્લિકેશન, સંકટ સખી એપ્લિકેશન, PBSC,નારી કેન્દ્ર વિશે, પ્રી એન્ડ પોસ્ટ મેરીજ કાઉન્સિલિંગ, મહિલાલક્ષી કાયદાઓ વિશે તેમજ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ આ શિબિર માં પી. ટી. સી કોલેજ ના પ્રિન્સીપાલ ચુડાસમા સાહેબ , વ્યાસભાઇ,તેમજ વિદ્યાર્થીનીઓ,…

Read More

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘સ્વસ્થ ગુજરાત’ના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી ‘સૂર્યનમસ્કાર મહાઅભિયાન’. મોઢેરા સહિત ૧૦૮ આઈકોનિક સ્થળોએ યોજાયેલા આ મહાઅભિયાનમાં ગીર સોમનાથની પણ સહભાગીદારી નોંધાઈ હતી અને સોમનાથ પથિકાશ્રમ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.આ તકે, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ,…

Read More

ઉપલેટા ખાતે યોજાયેલ આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ

હિન્દ ન્યુઝ, ઉપલેટા        ઉપલેટાના મામલતદાર એમ. ટી. ધનવાણીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે PMJAY મેગા કેમ્પની મુલાકાત લઈને લાભાર્થીઓને PMJAY યોજના બાબત મળતા લાભો વિષે સમજાવ્યુ હતું. તેમજ ABHA CARD ના ફાયદા સમજાવી બંન્ને કાર્ડ લાભાર્થીઓને કઢાવવા માટે માહીતગાર કર્યા હતા. તેમજ સરકાર દ્વારા કાર્યરત કરાયેલા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો વિષે અર્બન હેલ્થ ઓફીસર ડો.મોરી સાથે ચર્ચા કરી હતી. જેમા NCD, PMMVY, JSY, KPSY ના લાભાર્થીઓને મળતા લાભ વિષે ચર્ચા કરી બાળકોને આપવામાં આવતી રસી વિષે માહીતી મેળવી હતી. તથા ઉપલેટામાં આવતી તમામ સરકારી કચેરીના રૂ. ૪ લાખ કરતા…

Read More

કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જીલ્લા નાં કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ (જામનગર) નાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રીતિબેન શુક્લ દ્વારા મહિલાઓને યોગ નાં ફાયદા તેમજ કાયમી યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મેહમાન ‘હિન્દ ન્યુઝ’ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત રાજ્ય બોર્ડ સિનિયર કોચ કાંતિભાઈ વસોયા, ગુજરાત રાજ્ય બોર્ડ કોચ હીનાબેન રાખોલિયા અને ઓસ્વાર સિનિયર સીટીઝન કેર કમિટી નાં રાજુભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ તમામ મહેમાનોને યોગ ટીમ દ્વારા સાલ…

Read More

પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ,  રાજકોટ  · પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વ્યાપક પ્રમાણ માં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ ૩5 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 40 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 26 નમૂના લેવામાં આવેલ. · નમુનાની કામગીરી :        ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના 2 નમૂના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર

હિન્દ ન્યુઝ, રાજકોટ  પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક / વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ ·                   ફૂડ વિભાગ દ્વારા “શ્યામ ડેરી”, વિવેકાનંદનગર શેરી નં.9, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી તેજસ મુકેશભાઇ તેરૈયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું, ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.   ·                   ફૂડ વિભાગ દ્વારા “અજેન્દ્ર ડેરી ફાર્મ”, સોરઠીયા વાડી 6-8 કોર્નર, 80ફૂટ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત પાસેથી…

Read More