હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશિયલ મીડીયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી. ઑબ્ઝર્વરઓએ MCMC સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીઓને જરૂરી…
Read MoreCategory: Politics
જામનગર જિલ્લામાં મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો, તેમના કાર્યકરો કે ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે, મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન…
Read Moreચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું મતદાન જામનગર જિલ્લામાં તા.7-05-2024ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.07-05-2024ના સાંજના 06.00 કલાકથી 48.00 કલાક અગાઉ તા.05-05-2024ના સાંજના 06:00 કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે…
Read Moreમતદાન મથકમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તથા મતદારો મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 7-05-2024 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 7-05-2024ના સવારે 7:00 કલાકથી સાંજના…
Read Moreજામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડયાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો
૭ મે સવારે ૭ થી…… હિન્દ ન્યુઝ, જામનગર માત્ર સામાન્ય રીતે-૨૦૨૪ સ્થાનિક વિસ્તારના લોકોમાં લોકોમાં મનોરંજક લડાઈ લડાઈ અને કલે અધિકાર બી. કે. પંડના માર્ગદર્શન હેઠળ સ્વીડિપ એક્ટિવિટી અંર્તગત જાણિતા માહિતી કાર્યક્રમોનું ચાલુ થઈ રહ્યું છે. તેના ભાગ માટે લાભાન્તિક સંસ્થા, પુરાતત્વ સંગ્રહ સ્થાનિક સામાજિક મીડિયા ઇન્ફ્લુએર સાથે ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું સ્થાનિક અધિકાર સત્તાના સ્થાનિક સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સામાજિક મીડિયા ઇન્ફ્લિન્સ દ્વારા આધારનું મહત્વ, જાણવા માટે સમયના સમયગાળો જણાવો, એક મત, પરિવાર સાથે કામ કરવા જવું, પ્રથમ વખત કામ કરનાર મહિલાઓની ચર્ચાઓ, વગેરે જેવા મુદ્દાઓ પર…
Read Moreસોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ સંદર્ભે ૧૩-જૂનાગઢ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જે અંતર્ગત દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી (આર.જે.) સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શૉ’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટનું…
Read Moreજૂનાગઢ લોકસભા બેઠકનાં જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષક એકસાથે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જૂનાગઢ લોકસભા બેઠકનાં જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, ખર્ચ નિરીક્ષક રજત દત્તા અને પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીને ગીર સોમનાથના કાજલી, બાદલપરા અને આદ્રી ગ્રામ્ય વિસ્તારના વિવિધ ચૂંટણી બૂથની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી સમગ્રત્યાં વ્યવસ્થાઓનું નીરિક્ષણ કર્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ મતદાન બૂથની મુલાકાત લઈ નિરીક્ષકઓએ મતદાનલક્ષી જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સાથે જરૂરી વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. નિરીક્ષકઓએ સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તારમાં સમવિષ્ટ બૂથ પર વિવિધ પાસાઓનું નીરિક્ષણ કરી મતદારો માટેની જરૂરી ભૌતિક સુવિધા, સીસીટીવી,…
Read Moreમહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે રિક્ષારેલી થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર લોકસભા સામાન્ય ચુંટણી ૭ મી મે નાં રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી નાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ નિવાસી અધિક કલેક્ટર સી વી લટાના હસ્તે લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજિત ૨૦૦ થી વધુ રિક્ષારેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી આ રેલી લુણાવાડા નાં વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો પ્રસરાવશે સાથે રિક્ષા ચાલકો પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ જે કોઈ પેસેન્જર તેમની રિક્ષામાં મુસાફરી કરશે તેમણે ૭…
Read Moreકારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને આગામી તારીખ 07 મી મે- મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-1948 હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (B) મુજબ કારખાના ધારા-1948 અન્વયે કારખાનામાં કાર્ય કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલી…
Read Moreજનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ ડભોઈ વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ ૧૪૦-ડભોઈ વિધાનસભા મતદાર વિભાગમાં કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગુજરેશ્વર કુમારપાળ જૈન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તથા માતૃશ્રી પરસનબેન સી. દેસાઈ ઉચ્ચતર માધ્યમિક…
Read More