🩺 ડાંગના મહાલપાડા ખાતે ‘જનકલ્યાણ શિબિર’માં ટીબી રોગ નિદાન કેમ્પ યોજાયો: આધુનિક ટેકનોલોજીથી થઈ તપાસ

હિન્દ ન્યુઝ, ડાંગ      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના મહાલપાડા ખાતે ત્રિ-દિવસીય ગ્રામ્ય ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આ કેમ્પની મુલાકાત લઈ સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. 📌 કેમ્પની મુખ્ય વિશેષતાઓ અને કામગીરી: 🩻 અત્યાધુનિક ટેકનોલોજી: ટીબીના સચોટ નિદાન માટે સેન્ટ્રલ ટીબી ડિવિઝન (નવી દિલ્હી) દ્વારા ફાળવાયેલા અત્યાધુનિક ‘પોર્ટેબલ હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન’ વડે નાગરિકોના છાતીના એક્સ-રે પાડવામાં આવ્યા. 🩺 મફત હેલ્થ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં વિધવા સહાયનો લાભ લેતી મહિલાઓએ હયાતી ખરાઇનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપના આર્થિક સહાય યોજના’ (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે લાભાર્થીઓને તા.૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે.  આ યોજનાના લાભાર્થીઓને મળતી માસિક રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય અવિરત ચાલુ રહે તે માટે સમયમર્યાદામાં વેરિફિકેશન પૂર્ણ કરવું આવશ્યક છે. નિયત સમયમાં હયાતીની ખરાઈ નહીં કરાવનાર લાભાર્થીઓનો લાભ બંધ થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ પોતાના ગામના VCE…

Read More

GSRTC કંડકટર ભરતી અંગે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટર કક્ષાની ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC/202627/32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે ઉમેદવારોના ધ્યાનાર્થે સ્પષ્ટ કરવામાં આવે છે કે, RTO APPROVED BASE NO., CONDUCTOR LICENCE NO. CONDUCT, ENCE DATE & VALID UP TO જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજીયાત (વૈકલ્પિક) છે. વધુમાં જણાવાયું છે કે, ઉમેદવારો અરજી કરવાની અંતિમ તારીખ બાદ પણ માન્ય કંડકટર લાયસન્સ/બેજ તથા ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવી શકશે.  દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ માન્ય કંડકટર લાયસન્સ/બેજ અને અન્ય જરૂરી દસ્તાવેજો અચૂકપણે રજૂ કરવા…

Read More

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ પંડિત દિન દયાળ ઓડિટરીયમ હોલ ખાતે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વાયબ્રન્ટ રીજનલ સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલ આ પ્રોગામમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રભારી મંત્રી તેમજ રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ઉપસ્થિત સૌએ VGRC પર AV તેમજ ન્યુ MSME પોલિસી…

Read More

વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢની ધરતી ગિરનારની ગોદમાં વસેલી છે. અહીંનો પવન પણ પ્રકૃતિની સુગંધ લઈને ફરે છે. પરંતુ આ હરિયાળી માત્ર કુદરતની દેન નથી; તેની પાછળ વર્ષોનું જતન, સંવેદના અને સમર્પણ પણ છુપાયેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે.લોકો સહિત સૌના સહિયારા પ્રયાસથી જૂનાગઢ મોતીબાગ કેમ્પસ માત્ર જૂનાગઢનું નહીં પણ ગુજરાતનું નજરાણું છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના શબ્દોમાં, “પ્રકૃતિને માત્ર બચાવવાની…

Read More

કયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના જોષીપરા સ્થિત કયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા કયાડાવાડી ખાતે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. આ તકે ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના અવિરત ૧૨ વર્ષને અનુસંધાને લોકહિતાર્થે આયોજીત કાર્યક્રમમાં લોકોની સુખકારીમાં…

Read More

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સુશાસન નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ‘‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’’ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે ૩૫ થી ૩૬ કરોડની વસ્તી હતી, આજે ૧૪૦ કરોડ વસ્તી છે. ત્યારે તેની સુખાકારી અને કલ્યાણની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુપેરે નિભાવી રહ્યા છે. કોરોના કાળથી લઈને અત્યાર સુધી દેશની ૮૦ કરોડ જનતાને…

Read More

આદિવાસી બહુલ વલસાડ જિલ્લામાં સિકલસેલ ડિસિઝના ૨૬૬૫ કેસ નોંધાયા

હિન્દ ન્યુઝ, વલસાડ      સિકલસેલ રોગ વિશ્વના સૌથી સામાન્ય વારસાગત રક્તરોગોમાંનો એક છે, જેની સામે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૧૯ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો હોવાથી અહીં સિકલ સેલ એનિમિયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વલસાડ જિલ્લામાં મે- ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦,૦૯,૫૭૦ આદિવાસી વસ્તીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ૨,૬૬૫ સિકલ સેલ ડિસીઝના અને ૫૨,૭૭૨ સિકલ સેલ ટ્રેઈટના કેસો નોંધાયા છે.    સિકલસેલ એનિમિયા એક વારસાગત રક્તવિકાર છે, જેમાં લોહીના લાલ રક્તકણો દાતરડાના (સિકલ) આકારના…

Read More

તા. 19 જૂન: વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ

સિકલ સેલ જાગૃતિ અંગેના ગુજરાત મોડેલની તર્જ પર દેશભરમાં જુલાઈ, 2023ના રોજ કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન’ની કરી શરૂઆત : પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલિયા હિન્દ ન્યુઝ, વલસાડ      વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના પાયાના કાર્યકર ડૉ. યઝદી ઇટાલિયાએ ભારતમાં સિકલ સેલ રોગ (Sickle Cell Disease – SCD) સામેની લડતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી હતી. તેમણે સાથે સાથે વધુ જાગૃતિ, સમાન આરોગ્યસેવાઓની ઉપલબ્ધતા અને આધુનિક નિવારક ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.…

Read More

વલસાડ જિલ્લામાં ૨૩, ૨૪,૨૫ જુન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬

હિન્દ ન્યુઝ, વલસાડ    રાજયભરમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેની પુર્વ તૈયારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં પ્રવેશોત્સવના સુચારૂ આયોજન, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.     વલસાડ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-૧ સુધી ૩૫૬૦૦ બાળકોનું નામાંકન કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ…

Read More