કોડીનારની પરિણીતા ને જુનાગઢ સાસરીયાઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી

કોડીનાર,

તા. ૧૯/૦૮/૨૦૨૦, કોડીનારની પરિણીતા ને જૂનાગઢ સ્થિતિ સસરિયાઓએ કરિયાવર બાબતે મેણા ટોણા મારી મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે રીમ્પલબેન વિશાલકુમાર ભાયાણી એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રીમ્પલબેનના લગ્ન ગત તા.૮/૧/૧૯ ના રોજ જૂનાગઢ ના વિશાલકુમાર રાજેશ ભાયાણી સાથે થયા હતા, લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણદે મેણા ટોણા મારવાનું શરૂ કરી સાસરીયાઓએ પતિ ને ચડામણી કરતા પતિ વિશાલકુમાર મારકુટ કરી તું ભિખારીની દીકરી છે, કરિયાવર ઓછું લાવી છે તેમ કહીં અપમાનિત કરી વારંવાર પતિ, સાસુ, સસરા, નણદ ભૂંડી ગાળો બોલી ઢીકાપાટુ નો મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપી બીમારીમાં પણ સારવાર ના કરાવી તાંત્રિક પાસે દોરા ધાગા કરાવી પાણી અને તાવીજ દોરા પેહરાવતા હોવાનું જણાવી પતિ વિશાલકુમાર રાજેશ ભાયાણી,સસરા રાજેશ કાંતિ ભાયાણી,સાસુ પ્રવીણાબેન રાજેશ ભાયાણી અને નણદ ખ્યાતીબેન રાજેશ ભાયાણી રહે.તમામ જૂનાગઢ વિરુદ્ધ ફરીયાદ નોધાવતા કોડીનાર પોલીસે ૪૯૮(ક),૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment