“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”ની થીમ સાથે સુરેન્દ્રનગરમાં ઉજવાશે ‘૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર 

    આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ, તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી બપોરે ૧ કલાક સુધીનો રહેશે.

આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પાચન, શ્વાસન, ચામડી અને અન્ય રોગોની મફત સારવાર આપવામાં આવશે.

Related posts

Leave a Comment