ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો

હિન્દ ન્યુઝ, સુરત

    જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી

ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. જે સંદર્ભે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો છે. હેલ્મેટ ફરજિયાત કરવાથી ૯૦ % વાહનચાલકો પોતાની અને પરિવારની સુરક્ષા માટે દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરે છે, જે સુરતવાસીઓના સહયોગનું પરિણામ છે.

Related posts

Leave a Comment