શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જેનાં ભાગરૂપે કાલાવડ તાલુકાના બહુજન સમાજ પાર્ટી (B.S.P.) ના સચિવ અરવિંદભાઈ નાથાભાઈ સોલંકી તરફથી શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને “શિક્ષણ કિટ” નું વિતરણ કરવામાં આવ્યું.

       શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં આચાર્યશ્રી જયેશભાઈ પુંભડીયા દ્વારા ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા. ઉપસ્થિત મહેમાનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ને પુષ્પ હાર અર્પણ કરી વિધાર્થીઓ ને શિક્ષણ કીટ આપ્યા. બહુજન સમાજ પાર્ટી નાં જિલ્લા પ્રમુખ સુનિલભાઈ વાઘેલા દ્વારા શાળાનાં આચાર્ય જયેશભાઈ પુંભડીયાને ડૉ.બાબાસાહેબ ની સ્મૃતિચિન્હ અર્પણ કરેલ ત્યાર બાદ અરવિંદભાઈ સોલંકીએ વિધાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. કીટ વિતરણ પૂર્ણ કર્યા બાદ શાળાના તમામ વિધાર્થીઓને આઈસ્ક્રીમ આપવામાં આવેલ.

       અંતે શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં આચાર્યશ્રી જયેશભાઈ પુંભડીયાઉપસ્થિત તમામ મેહમાનો, ગામના આગેવાનો, વાલીઓ તેમજ વિધાર્થીઓનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એ બદલ શાળા વતી અંતઃકરણ પૂર્વક સર્વે નો આભાર વ્યક્ત કરેલ.

Related posts

Leave a Comment