વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે.

પરંતુવેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી ભવિષ્યમાં અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે તેમજ બંદર વિસ્તારમાં આવેલ આ તમામ પુલ રિપેર થઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાથી મોટી દુર્ઘટના તથા જાનહાની ટાળવા માટે આ તમામ પુલ પરથી પસાર થતો વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવા ભલામણ કરવામાં આવી છે.

જેથી કલેક્ટર દ્વારા વેરાવળ બંદરની હદ વિસ્તારમાં આવેલ તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનો૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજનના મીડીયમ તથા હેવી ગુડઝ વાહનો૧૨ પેસેન્જરથી વધુ ક્ષમતાના વાહન તેમજ તમામ શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું તેવા વાહનોને પસાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામુ બંદર વિસ્તારમાં આવેલા શ્રી દાદા ક્ષેત્રપાલ મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિ., શ્રી જય સાગર મત્સ્યોઉદ્યોગ સહકારી મંડળી લિ.શ્રી પરીશ્રમ ફિશરીઝ જ સેવા કો-ઓપરેટિવ સોસાયટી લિ.શ્રી હર્ષ સાગર મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના પેટ્રોડીઝલ પંપોને પેટ્રોલિયમ પ્રોડક્ટનું સપ્લાય કરતા વાહનોને લાગુ પડશે નહિ.

આ જાહેરનામું તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment