આગામી મકરસંક્રાતિના પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           આગામી તા.૧૪/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મકરસંક્રાતિ(ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને ચાઈનીઝ માંઝાનાયલોન તેમજ પ્લાસ્ટીક દોરીકાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ છે.

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પતંગ ચગાવવાના કોઈપણ પ્રકારના પ્લાસ્ટીકપાકા સિન્થેટીક મટીરીયલટોકસ્ટીક મટીરીયલલોખંડ પાઉડરકાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનાયલોનચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના આયાતખરીદવેચાણસંગ્રહવપરાશ અને આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર તેમજ ચાઈનીઝ લોન્ચરચાઈનીઝ તુકકલ(બલુન)ચાઈનીઝ લેન્ટર્ન(ફાનસ)ના જથ્થાબંધ વેપારઆયાતખરીદવેંચાણસંગ્રહવપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામુ તા.૧૬/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment