વલ્લભીપુર,પાલીતાણા અને ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર જિલ્લાની વલ્લભીપુર,પાલીતાણા અને ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ, દવા છંટકાવની કામગીરી ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા સ્વાસ્થ્ય તપાસ, પાણીનું ક્લોરીનેશન,ક્લોરિન ટેબલેટના વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભાવનગર જિલ્લામાં આરોગ્ય સંલગ્ન વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.


Advt.

 

Related posts

Leave a Comment