ભાવનગર આરોગ્ય વિભાગની બીજી ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોના આરોગ્યની તપાસ માટે પહોંચી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પાંચ દિવસ ૯૦૦ થી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી ત્યારે ભાવનગર આરોગ્ય વિભાગની સોનગઢ ની ટીમ તા. 3 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી વડોદરા બીજી ટીમ રહેશે.

સોનગઢ પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફિસર ડો. મિલન ઉપાધ્યાય, એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી અભેસંગ મોરી, એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી ચેતન પરમાર અને ડ્રાઈવર શ્રી રાજદીપ સિંહ ગોહિલ વડોદરા જિલ્લાના ફરજ બજાવી બજાવશે. 

ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે.  

સોનગઢ આરોગ્ય કેન્દ્રની ટીમ પાદરા તાલુકાના કોઠવાડા ગામ ખાતે લોકોના આરોગ્ય ની તપાસ કરે છે.

Related posts

Leave a Comment