પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 12 જ્યોતિર્લિંગ દર્શન

હિન્દ ન્યુઝ, દીવ

        પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ દર્શન. જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદનાથ, ભીમાશંકર, રામેશ્વર નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્નેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શન નું આયોજન કરવામાં આવ્યું.

     જેમાં વાંસોજ ગામના સરપંચ ગંગાબેન મોહનભાઈ, ઓલવાણના સરપંચ મોહનભાઈ, ખંઢેરાના સરપંચ પ્રવીણભાઈ, કોળી સમાજના પટેલ બીજલભાઇ, વણાકબારા ના સરપંચ મેઘજીભાઈ, નરસિંહભાઈ, કાંતાબેન, દમયંતીબેન, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન કાંતિભાઈ બામણીયા પણ હાજર રહ્યા. ઘોઘલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ જમનાદાસભાઈ ઘેડિયા પણ હાજર રહ્યા. દરેક નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત બી.કે.હંસાબેન અને ગાયત્રીબેને કર્યું. ગીતાબેને બાર જ્યોતિર્લિંગ નું મહત્વ મેડીટેશન નું મહત્વ અને જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે ? બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે આવે અને સંસ્કારોનું પરિવર્તન કઈ રીતે કરી શકીએ સમય પ્રતિ સમય આવનાર સમસ્યાઓનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ એના માટેની સમજૂતી આપી દરેક દ્વારા અલગ અલગ જ્યોતિર્લિંગમાં મહા આરતી કરવામાં આવી. સાથે સાથે વેલ્યુ ગેમ જેમાં ગમમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું અને સાથે સાથે શાંતિ અનુભૂતિ કક્ષમાં ત્રણ મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરાવવામાં આવી.

     સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. તૃપ્તિબેને કર્યું. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે પણ ૧૨ જ્યોતિર્લિંગ દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

Related posts

Leave a Comment