મતદાર જાગૃતી માટે એસ.ટી ડેપો વેરાવળનો પ્રેરક પ્રયાસ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ થઈ રહ્યાં છે ત્યારે એસ.ટી ડેપો વેરાવળ દ્વારા મતદાન કરવા પ્રત્યે જિલ્લાના નાગરિકોમાં જાગૃતી આવે તે માટે અનોખો કરવામાં આવ્યો છે.

લોકશાહીના પર્વમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને આપવામાં આવતી રિઝર્વેશન ટિકિટ તેમજ મુસાફર પાસ અને વિદ્યાર્થી પાસ સહિતની વિવિધ સેવાઓમા મતદાન અંગેનો સ્ટેમ્પ લગાવીને નાગરિકોમાં વધુને વધુ મતદાન જાગૃતિ કેળવાય તે માટે અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment