12- જામનગર સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓને નાગરિકો ફોન કર્યા બાદ રૂબરૂ મળી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

  લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.

12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 8160916519 ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વર ને સાંજે ૪ થી ૫ ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.

 

 

 

Related posts

Leave a Comment