હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં પીથલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓનાં અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.