યોગ પહેલા, દરમિયાન અને યોગ બાદ ધ્યાન માં રાખવા જેવી અનેક બાબતો નું વિશ્લેષણ

આંતરરાષ્ટ્રીય યોગ દિન

હિન્દ ન્યુઝ, ભાવનગર

           આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિતે દેશભરમાં યોગ ઉત્સાહીઓ યોગ થી થતા પ્રત્યક્ષ ફાયદા નું પ્રસ્તુતીકરણ કરશે ત્યારે યોગ કરતા પહેલા, યોગ દરમિયાન અને યોગ બાદ ધ્યાનમાં રાખવાની અનેક બાબતો વિષે જાણકાર હોવું જરૂરી છે. ત્યારે આ વિષે શિક્ષણ આપતા અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જાનવી પ્રતિભા મહેતા નીચે મુજબ ઉલ્લેખિત મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું જણાવે છે.

જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ માં જતાં પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ :

(૧) યોગાસન ખાલી પેટ અથવા હળવા પેટે કરવું આવશ્યક છે. યોગાભ્યાસના ત્રણ કલાકથી ઓછા સમય પહેલા કોઈપણ ભારે ભોજન ન લેવું. જો કે પ્રેક્ટિસના એક કલાક પહેલા સુધી થોડું ફળ સ્વીકાર્ય છે.
(૨) યોગ વર્ગ સુધી લઈ જતા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. વ્યાયામ કરતા પહેલા પેટ અને મૂત્રાશયને ભરવાથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ શકે છે જેને કારણે ક્યારેક ઉબકા અથવા ઉલ્ટી પણ આવી શકે છે.
(૩) વ્યવસ્થિત રીતે શ્વશન થઈ શકે તેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. યોગ દરમ્યાન ગળામાં કોઈ દાગીના ન પહેરો તથા લાંબા વાળને યોગ્ય રીતે બાંધી અભ્યાસ કરવો.
(૪) યોગ વર્ગમાં યોગ મેટ, ટુવાલ અને પાણીની બોટલ સાથે રાખવી.
(૫) યોગ વર્ગ દરમિયાન ફોન નો ઉપયોગ ન કરવો.
(૬) થાક, ઉતાવળ, ઈજા કે બીમારીની સ્થિતિમાં યોગ ન કરો. જો હાઈ બ્લડ પ્રેશર, હૃદયની સ્થિતિ અથવા ચક્કર આવે તો તમારા શિક્ષકને જાણ કરો જેને કારણે તેઓ આસનમાં ફેરફાર કરી શકે.

જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ દરમિયાન આટલું ધ્યાન રાખવું જોઈએ:

(૧) યોગ અભ્યાસ એક સંકલ્પ અને પ્રાર્થના ની સાથે શરૂ કરવો
(૨) યોગ અભ્યાસ માં શ્વાસ નું ખાસ ધ્યાન રાખવું તથા પૂર્ણ જાગૃતતા સાથે અભ્યાસ કરવો.
(૩) મન માં ગણતરી સાથે અભ્યાસ કરવો.
(૪) હમેશા કોમ્પ્લીમેન્ટરી આસન નો અભ્યાસ કરવો.
(૫) પ્રથમ આસન બાદ શ્વાસ રાબેતા મુજબ થયા બાદ જ બીજુ આસન કરવું.

 

 જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ બાદ આટલું ધ્યાન રાખવું જોઈએ :

(૧) યોગાભ્યાસ પછી સવાસનમાં 10 મિનિટ આરામ કરવો.
(૨) યોગ કર્યા પછી, સ્નાન કરતા પહેલા શરીરને 30 મિનિટ સુધી ઠંડુ કરવું.
(૩) શરીર સામાન્ય તાપમાને આવે ત્યારબાદ સ્નાન કરવું.
(૪) યોગાભ્યાસ પછી ફરીથી હાઇડ્રેટ અને ઇલેક્ટ્રોલાઇટ્સને પુનઃસ્થાપિત કરવા પાણી અથવા નાળિયેર પાણી નું સેવન કરો.
(૫) યોગાભ્યાસના 20-30 મિનિટના અંતરાલ પછી ખાઓ.

આમ, યોગ પહેલા, દરમિયાન અને પછી આ અનેક પગલાં અનુસરવાથી યોગાભ્યાસથી થતા અનેક લાભ બમણી રીતે અનુભવ કરી શકીયે છીએ.

Related posts

Leave a Comment