રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી

રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી

રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં બે દિવસ અગાઉ રાજકોટ શહેરના રોણકી ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રોણકી ગામના અશોક છગનભાઇ રાઠોડ ગતરાત્રે પોતાના ઘરે ફળિયામાં ખાટલા પર સૂતા હતા. ત્યારે પાડોશમાં રહેતો અનિલ ઝીંઝુવાડિયા ધસી આવ્યો હતો. અને અશોકને પેટમાં છરીનો ઘા ઝીકીં હત્યા નીપજાવી હતી. જો કે, અનીલ દ્વારા જયારે અશોક ને મારવામાં આવ્યો હતો. ત્યારે છરીનો ઘા ઝીંકાતા અશોકે ચીસો પાડતા તેના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. પરિવારજનો બહાર આવતા હુમલોખોર અનિલ નાસી ગયો હતો. જે બાદ અશોકને હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ગ્રાંધીગ્રામ પોલીસે આરોપી અનિલ કેશુ જીન્જુવાળીયાની ધરપકડ કરી લીધી છે. ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment