હિન્દ ન્યુઝ, જામનગર
ગર્ભાશયના કેન્સર ને નાથવા માટે 10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે.
અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ ડોઝ અપાશે નવા રજીસ્ટ્રેશન ફક્ત જૈનોની દીકરીઓનું જ થાય તેવી સંઘમાતા પરિવારની ઈચ્છા છે. આ માટે વધારે જાણકારી મેળવવા કો-ઓર્ડીનેટર રીટાબેન મહેતા નો સંપર્ક 7567882772 કરો. જૈનોની દીકરીઓના નવા રજીસ્ટ્રેશન સોના બજારમાં સોમ મંગળ, બુધ સવારે 10 થી 12 વચ્ચે આધારકાર્ડ સાથે રાખી કરાવી લેવા તેવી વિનંતી કરવામાં આવે છે.
