હિન્દ ન્યુઝ, ભુજ
“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આર.ડી.વરસાણી સ્કૂલથી ભુજ એરપોર્ટ દ્વાર સુધીની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે ભુજ શહેરમાં હ્યુમન ચેઈન, સાઈકલ રેલી જેવા કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે.
ભુજની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સાઈકલ રેલીના કાર્યક્રમની શરૂઆત કરી હતી. મામલતદાર વિવેક બારહટ, રમત-ગમત અધિકારી મુકેશ ઘોયા સહિતના મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.