સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સૌર ઉર્જા (સોલાર વોટર પંપ)સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કરતા ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સુરત 

      સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ભાંડુત ગામએ ગુજરાત રાજયનુ સૌપ્રથમ ૧૦૦% સોલાર પંપ સંચાલિત ડિઝલપંપમુકત ગામ બન્યું છે. આ સૌર ઉર્જા (સોલાર વોટર પંપ) સંચાલિત પરિયોજનાનું ઉદ્દઘાટન કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શકય બન્યું છે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજના થકી. ભાંડુતગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની ૬૮૮ વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા ૪૦૦ ખેડૂતો સીધો ફાયદો થયો છે.

     અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ યોજના સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ભાંડુત ગામના ખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરીને તળાવમાંથી સિંચાઈ કરીને ખેતી કરતા હતા. ગામના ૪૦૧ ખેડુતો સામૂહિક રીતે ત્રણ તળાવોમાંથી સિંચાઈ માટે મહીને રૂ.૯.૧૩ લાખ તથા વર્ષે રૂ.૧.૧૦ કરોડના ડીઝલનો વપરાશ થતો હતો. આ યોજના સાકારિત થવાથી ખર્ચ શુન્ય થયો છે. માત્ર ગ્રામજનોને વર્ષે રૂા. ૯.૫૦ લાખનો મેટેનન્સનો ખર્ચ થતો હોવાનું મંત્રી એ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ૪.૭૭ લાખ લાભાર્થીઓને કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો એનાયત કરવામાં આવ્યા છે. કુદિયાણા અને સરોલીને જોડતા રસ્તાનુ નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાને કરોડોના ખર્ચે જોડતો બ્રિજનુ નિર્માણ કરીને ૪૪ કિ. મી.ના ચકરાવામાંથી મુકિત અપાવી છે. યોજના વિશે વધુ વિગતો જોઈએ તો પ્રથમ ગ્રામજનોએ ભાંડુતના ગામના ત્રણ તળાવોને રાજય સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ ઉડા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાણી ફાઉન્ડેશન અને સુરત જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિંચાઈ યોજનાથી મદદથી બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં ટ્રાન્સફરને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અદાણી ફાઉન્ડેશને ગામના ત્રણ તળાવોમાં સૌલાર પેનલો મુકવામાં આવી છે જયારે જિલ્લા પંચાયતની ઉદ્દવહન સિચાઈ યોજનાથકી પાઈપ લાઈન નાખવામાં આવી છે.

     રૂ. ૨૦ લાખ શ્રમ કલાકોની બચત પણ થઈ છે. તદુપરાંત દર મહિને ૩૦૦૦ કામકાજના કલાકો અને વાર્ષિક ૩૬૦૦૦ કલાકોની બચત થઈ છે. બીજી ખાટલે મોટી ખોડ એ હતી કે, બધા ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા અને તેથી આ પંપ તેમને ભાડે લેવા પડતા જેનાથી ખર્ચો પણ વધુ થતો હતો.જેમાંથી હવે મુકિત મળી છે. આ પહેલનો એક મોટો આડકતરો ફાયદો એ થયો છે કે, કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધી છે ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે. એક ગણતરી મુજબ ડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ ૨૬૯૯૧૬ KG કાર્બનનું ઉત્સર્જન દૂર થયું છે. સોલાર વોટર પંપના અનેક ફાયદાઓ છે. તેનાથી દૂરના વિસ્તારોમાં સિંચાઈ થઈ શકે છે. પર્યાવરણને અનુકૂળતાની સાથે બળતણની કોઈ જરૂરિયાત રહેતી નથી. આજે ભાંડુત સફળ ટકાઉ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે અને માટે ભારતના અનેક ગામો માટે પ્રેરણારૂપ એક મોડેલ ગામ બન્યું છે. આ યોજનાને સાકારીત કરવા માટે ભાંડુત ગામના જાગૃત ડે. સરપંચ  હેમતભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઓલપાડ તાલુકાના કારોબારી સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ભાડુત ગામના સરપંચ ધનુબેન રાઠોડ, તાલુકા પંચાયતના સભ્યશ્રીમતી પ્રિયંકાબેન, સંગઠનના મહામંત્રી કુલદિપભાઈ ઠાકોર, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર.યુનિટ હેડ પ્રિયેશકમાર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment