મનપા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરાજી: રૂ./- ૧૫.૫૮ કરોડની આવક: મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજી તારીખ: ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ. ૧૫.૫૮ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત રૂ. ૯૧.૩૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. ૩૩.૬૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવેલ હતું. આ જાહેર હરરાજીમાં કુલ ૪૮૩ અરજદારોએ ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment