હિન્દ ન્યુઝ, રાધનપુર
આજ રોજ પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકામાં ફાંગલી ગામે ફંગાઇ માતાજીના મંદિર તેમજ બરારા ગામ ખાતે હનુમાનજીના મંદિરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા માહિતી આપવામા આવી હતી. જેમાં સાંતલપુર તાલુકામાં દરેક ગામમાં એક સાર્વજનિક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે એવું આયોજન કરવામાં આવે તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સાંતલપુર વિભાગના પ્રમુખ દેવરામભાઈ ચૌધરી અને સહિયોહી વિભાભાઇ રબારી વન વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી. આ સમગ્ર કાર્યક્ર્મ માં લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર