પ્રથમ પુણ્ય તિથિ (છઠ) ને ગુરુવાર, સ્વ: સુખડીયા બકુલભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કરવામાં આવ્યું વિશેષ દાન

હિન્દ ન્યૂઝ, રાધનપુર

રાધનપુર તાલુકા ના સેવાભાવી યુવાન, સ્વ: સુખડીયા બકુલ ભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ રાધનપુર ગોગા શેરી ખાતે જમવા આવેલ બાળકો ને ચોપડો, બોલપેન, પેન્સીલ, રબર, સંચો, પર્શ, બિસ્કીટ પેકેટ આમ અભ્યાસ ને લગતી તમામ વસ્તુ બાળકોને આપવામાં આવી હતી. ગરીબ માણસો જેવા ઝૂંપડ પટ્ટી માં રહેતા માણસો ને બકુલ ભાઈ ના પુત્ર સુખડીયા કશ્યપ ભાઈ અને બંને જમાઈઓ, સુખડીયા અંકુશ કુમાર, હિન્દ ન્યુઝ ના પત્રકાર રામાનુજ અનિલ કુમાર દ્વારા કરવામાં આવી સેવાકિય પ્રવૃત્તિ અને દરેક ગરીબ માણસ જે રાધનપુર શાંતિ ધામ બાજુ માં ઝૂંપડ પટ્ટીમાં રહેતા એવા માણસો સુધી ભોજન પહોચાડવામાં આવ્યું તેમજ અસ્થિર મગજ નાં માણસો ને ભોજન આપવામાં આવ્યું હતુ. આમ, પુણ્ય તિથિ નિમિત્તે અન્ન દાન અને બાળકો ને ભોજન તેમજ અભ્યાસ માટે વસ્તુઓ આપી (સ્વર્ગ વાસ) સ્વ. બકુલ ભાઈ ની પુણ્ય તિથિ નું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતા પુણ્ય તિથિ નિમિત્તે સારા વિચાર સાથે સારું આયોજન કરવામાં આવ્યું. જે ખરેખર માનવતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment