તાલુકા ના ભિલોટ ગામે ૪૦ વર્ષીય આધેડ ની હત્યા, લગ્ન પ્રસંગે નજીવી બાબતે મામલો બન્યો ઉગ્ર

હિન્દ ન્યુઝ, રાધનપુર

લગ્નનો પ્રસંગ શોકમાં ફેલાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે હત્યા

રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે દિલ્હી થી ભત્રીજી ના લગ્ન માં આવેલ ભીલોટ ગામના રહીશની હત્યા બનેલ ઘટના માં તીક્ષ્ણ હથિયાર થી નજીવી બાબતે હુમલો કરતા ૪૦ વર્ષીય આધેડ રમેશ ભાઈ વણકર નું મોત નિપજ્યું છે, આ બનાવમાં એકજ સમાજ ના લોકો વચ્ચે લગ્ન પ્રસંગે મામૂલી બોલાચાલી હત્યા સુધી પહોંચતા રાધનપુર વિસ્તાર માં ચકચાર મચી જવા પામ્યો છે

રાધનપુર તાલુકાના ભીલોટ ગામના દલિત પરિવાર વણકર સમાજ માં લગ્ન પ્રસંગે બનેલી ઘટના માં જાન નો ઉતારો જયાં આપેલ હોઈ ત્યાં આરોપી મહેમાનો ની હાજરી મા ખરાબ ગાળો બોલતા હોઈ આવા શબ્દો બોલવાની ના પાડતા આરોપી એ તીક્ષ્ણ હથિયાર થી પગ આરપાર કરી દેવામાં આવતા મરણ જનાર નીચે પડી જતાં આરોપી તે સમય ફરાર થઈ ગયેલ અને તે સમયે પગ ની આરપાર તીક્ષ્ણ હથિયાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હસ્પિટલમાં આધેડ ને દાખલ કરવામાં આવેલ પરંતુ ગંભીર ઇજા હોઈ વધુ સારવાર માટે ધારપુર પાટણ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી અને ધારપુર પાટણ થી અમદાવાદ વધુ સારવાર અર્થે લઈ જતા તે સમય ઊંઝા થી મહેસાણા વચ્ચે લઈ જતા લોહી વધુ વહી જતા વચ્ચે જ આધેડ મરણ પામ્યા. આ બનાવ ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ ભીલોટ મુકામે બનવા પામેલ. આ બનાવમાં આરોપી વિરુદ્ધ IPC કલમ- ૩૦૨, ૫૦૪,૨૯૪ બી.. મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

આમ, રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે રમેશભાઈ દેવજીભાઈ વણકર ની ગુપ્તી મારી હત્યા કરવામાં આવી અને આ હત્યા થી રાધનપુર વિસ્તાર મા ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment