થરાદ તાલુકાના પઠામડા ગામ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

હિન્દ ન્યૂઝ, થરાદ

    થરાદ ના પઠામડા ગામના જાગૃત નાગરિક ભાણાભાઇ ઠાકોર દ્વારા ગામમાં થતી મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની થતિ હોવાની લેખિત રજૂઆત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ તમેજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને કરવામાં આવી હતી. એમાં પઠામડા ગામે ખાણ અને ખનિજ વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અગાઉ થરાદ તાલુકાના કેટલાક ગામોમાં ખનીજની મોટા પ્રમાણ માં ચોરી થયેલી છે. જેને લઇ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોઈ કાર્યવાહી કે દંડ આપવામાં આવ્યો કે નહીં જિલ્લા ખાણ ખનીજ દ્વારા ભીનું સંકેલાયુ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે પઠામડા ગામે થયેલી ખનીજ ચોરીનું તપાસ દરમિયાન કોઈ વિગતો બહાર આવશે કે નહીં લોક મુખે અનેક સવાલો થઈ રહ્યા છે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment