માંગરોળ શિફા હોસ્પિટલની કોરોના કાળમાં મહત્વની કામગીરી, 47 દર્દીઓ કોરોના ને માત આપી સ્વસ્થ થયા

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ની શિફા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને નાત જાત ના ભેદભાવ વિના સારવાર આપવામાં આવી રહી છે. જેમાં આ બીજા વેવમાં કુલ 47 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા છે. આજ રોજ વધુ 8 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી.

શિફા હોસ્પિટલમાં ડો સોહીન થઈમ, ડો.શમાં સહિત શિફા હોસ્પિટલ નો નર્સિંગ સ્ટાફ અને ટ્રસ્ટીઓ મોલવી ઈકબાલ બેરા સહિત સેવા આપી રહયા છે. આ સાથે શિફા હોસ્પિટલમાં માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા અને બયતુલમાલ પ્રમુખ હનીફભાઈ પટેલ ની આગેવાની માં સતત ખડેપગે મહેનત કરી રહયા છે.

47 દર્દીઓ કોરોના ને માત આપી સ્વસ્થ અને આજ રોજ વધુ 8 દર્દીઓને રજા મળતા તેમને ફૂલ ઉડાવી મોઢું મીઠું કરાવી રજા આપવામાં આવી હતી.

રિપોર્ટર : સોયબ જેઠવા, વેરાવળ 

Related posts