ગીર-સોમનાથ જિલ્લાના એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં/ચણા ખરીદી ૨૫ એપ્રીલ સુધી બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લાનાં એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતેથી ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને ઘઉં ખરીદી કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે ખરીદ સેન્ટરના અધિકારી/કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર સહિતના કોરોના સંક્રમીત થયેલ હોય અને બહારથી આવતા ખેડૂતોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણી હેતુસર જિલ્લાનાં તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તેમજ ઘઉંની ખરીદી આજરોજ થી તા. ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment