શહેર ભાજપ દ્વારા આર્મી ની ફરજ પૂર્ણ કરી આવતા વીર જવાન નું ભવ્ય સ્વાગત થયું

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

            જામ ખંભાળિયા ના વીર જવાન ધીરેન્દ્રસિંહ ઉદયસિંહ ચુડાસમા જે 16 વર્ષ સુધી આર્મી મા સફળતા પૂર્વક દેશ ની સેવા કરી આજરોજ ફરજ માથી નિવૃત થઈ જામ ખંભાળિયા નગરગેટ ખાતે પધારતા શહેર ભાજપ દ્વારા તેમનું વંદે માતરમ ભારત માતા કી જય ના નારા સાથે ફુલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજરોજ છતીશગઢ સુકમાં બોર્ડર પર નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા 22 વીર જવાન ને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, સદસ્ય ઇમત્યાઝખાન લોદિન, યુવા ભાજપના સુરપાલસિંહ ચુડાસમા, વનરાજસિંહ વાઢેર, અશોકભાઈ કાનાણી, ભવ્યભાઈ ગોકાણી, જીજ્ઞેશભાઈ પરમાર, ઘનસ્યમસિંહ જાડેજા, માનભા જાડેજા, નિરવભાઈ કવયા, યુનુસભાઈ ચાકી, નટુભા જાડેજા, યસપાલસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, ઊદુભા ચુડાસમા, દશરથસિંહ ચુડાસમા વગેરે આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

રિપોર્ટર : આશિષ નકુમ, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment