દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા મહા શિવરાત્રી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

          દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી નિમિતે 16 માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ના આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી આ રક્તદાન શિબિર ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં રક્તદાન એ મહાદાન ના ભાગરૂપે સમાજ ના યુવાનો એ રક્તદાન કર્યું હતું જેમાં રાવણા યુવક મંડળ દ્વારા રક્તદાન કરનાર ને પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં આ રક્તદાન શિબિર માં જે રક્ત એકઠું થશે તે રક્ત જરૂરિયાત મંદો ને આપવામાં આવશે આ પ્રસંગે ગુમાનસિંહ વાઘેલા, પ્રવિણસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, ડો સોનાજી ચૌહાણ, પૂર્વ સરપંચ કનુભાઈ પઢીયાર, ડો મોહનજી રાઠોડ, અમરતભાઈ ભાટી, પરાગભાઈ મકવાણા, અજિતભાઈ પરમાર, રણજીતસિંહ રાઠોડ, અશોકભાઈ પરમાર, કિશોરભાઈ ચૌહાણ, નટુભાઈ ચૌહાણ(પત્રકાર) નાગજીભાઈ ચૌહાણ, રત્નાજી ચૌહાણ, જયેશભાઇ મકવાણા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment